Saturday, 10 December 2016

[amdavadis4ever] મર્યાદિત ઊંઘ : સ ્ત્રીઓના સ્વસ્થ શ રીરની ચાવી Aas P ass, Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




વિનોબા ભાવેના પવનારના આશ્રમમાં સૌ સેવકો રાત્રે ત્રણ વાગ્યે જાગી જતા અને પ્રાર્થનામા બેસતા. હું આઠ વર્ષ મહાત્મા ગાંધી નેચર ક્યોર આશ્રમમાં સેવક તરીકે રહ્યો છું, ત્યાં તમામ સેવકો વિનોબાના આદેશ પ્રમાણે ત્રણ વાગ્યે જાગીને પ્રાર્થનામાં બેસતા. આપણા પ્રસિદ્ધ હાસ્યલેખક તારકભાઈ મહેતાને મેં પૂછ્યું 'તમે રાત્રે કેટલા વાગ્યે સૂઓ છો અને કેટલા વાગ્યે ઉઠો છો.' તો તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, 'અરે ભાઈ, રાત્રે હું સૂતો જ નથી એટલે જાગવાનો સવાલ જ નહીં.' તારકભાઈને આખી રાત ઊંઘ ન આવતી. દિવસના થોડુક સૂઈ લે અને સત્યાશીની ઉંમર સરસ લખી શકતા હતા. સ્વામિનારાયણનાં મંદિરોમાં આઠ પહોર આરતી થાય છે. સેવકો જાગીને આરતી ઉતારે છે. મારા ઘર પાસે સ્વામિનારાયણનું મંદિર એ મારે માટે રાત્રિની ઘડિયાળ છે. આપણા હિન્દુ ધર્મમાં ઊંઘ, આહાર અને મૈથુનમા સંયમ વર્તવા કહ્યું છે. ઊંઘનો સંયમ શ્રેષ્ઠ છે. ઓછો આહાર લો, તો ઓછી ઊંઘ આવે છે.

જૈન ધર્મના સાધુઓની નિદ્રા ઓછામાં ઓછી હોય છે, કારણ કે આહાર તદ્દન ઓછો હોય છે અને મૈથુન તો તદ્દન વર્જ્ય છે એટલે ઘણા જૈન સાધુઓ સવાસો વર્ષ સુધી જીવે છે. એ ઉંમરે એમનું મૃત્યુ થાય, ત્યારે જૈન સાધુના મૃતદેહને પાલખીમાં બેસાડી વાજતે ગાજતે 'સ્મશાન' સુધી લઈ જવાય છે. પશ્ચિમના લોકોનું ઊંઘ, આહાર અને મૈથુનની બાબતમાં ભોગવાદી હોય છે. મહેરબાની કરીને પશ્ચિમના આરોગ્યશાસ્ત્રીના ઊંઘના ધોરણને કે મૈથુનના ધોરણને માનશો નહીં. એ લોકો આઠ કલાકની ઊંઘને ખૂબ જરૂરી માને છે. પણ આપણી સ્ત્રીઓ ભાગ્યે જ ત્રણથી ચાર કલાક કે મહત્તમ પાંચ કલાકની ઊંઘ લઈ શકે છે. ઓછું ઊંઘનારી સ્ત્રીનું રૂપ ખીલેલુ હોય છે. શરીરને પાતળું અને સૌષ્ઠવભર્યું રાખવા આહારમાં જેમ સંયમ પાળનારી સ્ત્રી રૂપાળી હોય છે, તેમ ઊંઘમાં સંયમ પાળે તો તે વધુ સુંદર રહે છે તેનું વજન વધતું નથી. આજે મુંબઈમાં હું જોઉં છું કે શાકમાર્કેટમાં આવતી 80 ટકા પરિણીત સ્ત્રીઓનાં શરીર અદોદળાં હોય છે. તે 'સુખી' ઘરની સ્ત્રીઓ આહાર અને નિદ્રામાં ભોગવાદી હોય છે. 'ડાયેટિંગ' કરનારી યુવતીને ઑટોમેટિક નિદ્રામાં પણ 'ડાયેટિંગ' થઈ જાય છે.

અમેરિકામાં 'નેશનલ સ્લીપ અવેરનેસ સપ્તાહ' ઉજવાય છે. તેમાં સ્ત્રીઓને ખાસ કહેવાય છે કે તમારી ઊંઘ ઉપર કંટ્રોલ રાખો, તો વજન પર ઑટોમેટિક કંટ્રોલ રહેશે. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચર અને ઇંદિરા ગાંધી કહેતાં કે તેમને માત્ર ત્રણથી ચાર કલાકની ઊંઘ પર્યાપ્ત હતી. ઘણી વખત માર્ગારેટ થેચર આખી રાત જાગતાં હતાં. કૅનેડાના ઊંઘ અંગેના સંશોધકોને તેમણે ખોટા પાડ્યા હતા. કૅનેડાના ઊંઘના નિષ્ણાતો કહે છે કે રાત્રે ન ઊંઘનારાની બુદ્ધિ ઘટે છે. - આ તદ્દન વાહિયાત તારણ હતુ. તારક મહેતા રાત્રે સૂતા જ ન હોવા છતાં તેમની સર્જકતા શાર્પ હતી. માર્ગારેટ થેચર રાત્રે ઓછું ઊંઘતાં, તેમની બુદ્ધિ શાર્પ હતી. માનવીમાં ક્રિએટિવિટી- સર્જનશીલતા આવે છે, તે માપસર ઊંઘથી આવે છે.

વધુ નિદ્રા લેનારાનાં શરીર અદોદળા થાય, તેમ બુદ્ધિ પણ 'જાડી' થાય છે. અમેરિકામાં જે સિલિકોન વેલી તરીકે ઓળખાય છે, ત્યાંના સોફ્ટવેર પ્રોગ્રામરો વિનોબા ભાવેની જેમ ત્રણ કે ચાર વાગ્યે વહેલી સવારે જાગીને કામે લાગી જતા. મહુવામાં મેં મેટ્રિકની પરીક્ષા 1947માં આપી હતી. બે કપોળ ભાઈઓને ઘરે હું દીવાને અંજવાળે વાંચતો. બંને ભાઈઓ વહેલા વહેલા સૂઈને ઘોરતા તે બન્ને નાપાસ થયા. મેં ઉજાગરા કરીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. જગતના વર્કફોર્સમાં ત્રીજા ભાગના લોકો રાતપાળી કરે છે. આ રાતપાળી કરનારા લોકોના આપણે આભારી છીએ કે તે ઓછી ઊંઘે તેમની ઉત્પાદકતા વધારે છે. માઈક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ કહે છે કે 'અમારા સોફ્ટવેર પ્રોગ્રામરોને બહુ ઊંઘની જરૂર જ નથી. અમુક પ્રોગ્રામરો રાતભર જાગીને ઉત્તમ સોફ્ટવેર પ્રોગ્રામ ઘડે છે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment