Friday, 4 November 2016

[amdavadis4ever] સફ્ળ થવા માટે શું વધુ જરૂરી? IQ કે EQ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'માણસે સફ્ળ થવા માટે પ્રજ્ઞાાથી કામ કરવું જોઈએ કે લાગણીથી?'

કાનાભાઈ બોલ્યા, ' એટલે કે સેલ્ફ્કંટ્રોલ! ગુડ! અરજણભાઈ, તમે 'લાગણી પર જરૂર પૂરતો કંટ્રોલ' શબ્દ વાપર્યો એ ગમ્યું. એરિસ્ટોટલે કહ્યું છે, ' ગુસ્સે થવું સહેલું છે, પરંતુ યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય પ્રમાણમાં ગુસ્સે થવું ખૂબ મુશ્કેલ છે.' આગળ વધો!'
' ઈમોશનલ ઈન્ટેલિજન્સનું ત્રીજું લક્ષણ છે, સામાજિક અને વ્યવસાયિક વ્યવહારોમાં બીજાની લાગણીઓને વાંચવી, એને સમજવી. એ લાગણીને આધારે જ નિર્ણય લેવો એવું નથી, પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં એ લાગણીને પણ જરૂરી સ્થાન આપવું.' થોડીવાર પહેલા વાંચેલી વાતો આમ ફ્ટાફ્ટ યાદ આવી જવાથી અરજણભાઈને પોતાની યાદશક્તિ માટે માન થયું. 'નવમા ધોરણમાં સમાજવિદ્યા ભણતી વખતે યાદ શક્તિ આટલી સારી હોત તો!' એવો વિચાર ઝબકી ગયો, એને ફ્ગાવી એ આગળ વધ્યા, ' ઈમોશનલ ઈન્ટેલિજન્સનું ચોથું લક્ષણ એ છે કે આપણે પોતાની સાથે, પોતાની નીચે અથવા પોતાની ઉપર કામ કરનારા સાથીને તેમજ ગ્રાહકને સમજવા, એમની સાચી વાત સ્વીકારવી, આપણી સાચી વાતો એમને ગળે ઉતારવાનો પ્રયાસ કરવો. સંબંધ સુચારું રહે એ રીતે બહુ અકળાયા વગર મુશ્કેલીઓ પાર પાડવી.' અરજણભાઈ વાત પૂરી કરી.
' અર્થાત્ દરેક વ્યવહારને એક રિલેશનશિપની જેમ ટ્રીટ કરવો, પ્રોબ્લેમ આવે તો મળી-સમજી એનું સોલ્યુશન મન અને હૃદય બંનેને ગમે એવું લાવવું! ઈમોશનલ ઈન્ટેલિજન્સ એટલે શું, એ તો તમે બરાબર સમજાવ્યું, પણ તમારો સવાલ શું હતો? '

એમણે કહ્યું, ' આપણે એ ધારણા સ્વીકારીને ચાલીએ છીએ જેનો આઈ. ક્યૂ વધુ હોય એને જ જવાબદારી સોંપવી જોઈએ. એને જ લીડ કરવાની તક મળવી જોઈએ. પણ, આપણે સૌ જાણીએ છીએ કે જીવન માત્ર શાર્પ ઈન્ટેલિજન્સથી જીવાતું નથી. ઘણાં ગણતરી કે શબ્દભંડોળમાં ખૂબ તેજ હોય એવા લોકો વ્યવહારમાં કાચા હોય છે. તેથી આવી વ્યક્તિનો ટેસ્ટમાં સારો સ્કોર જોઈ, એમ્પ્લોય કર્યા પછી કંપનીઓને એમની પાસેથી ધારેલું કામ મળી શકતું નથી. આપણી શિક્ષણ પદ્ધતિઓ માત્ર કોરી બુદ્ધિ માપે છે. બોર્ડ કે યુનિવર્સિટીની એક્ઝામ કે એમ્પ્લોયમેંટ કે એન્ટ્રન્સ ટેસ્ટમાં 'ઓન પેપર' સારા માર્ક લાવી બુદ્ધિશાળી પુરવાર થયેલી વ્યક્તિમાં સેલ્ફ્ કંટ્રોલ, બેલેંસ, ઉત્સાહ, ધીરજ, શ્રદ્ધા, બીજા સાથે કામ કરવાની ફવટ, અને બીજા પાસે કામ લેવાની આવડત ન હોય તો કંપનીને એની બુદ્ધિ કંઈ કામ લાગતી નથી. અરે પોતે લીડર હોય ત્યારે પણ ઘણાં બુદ્ધિશાળી માણસ ગુસ્સો, ડર, ઈર્ષ્યા, અહંકાર જેવી લાગણીથી વશ થઈને ખોટા નિર્ણય લઈ શકે.' અરજણભાઈ લાંબી સ્પીચ આપ્યા પછી રાહતનો શ્વાસ લીધો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment