Thursday, 20 October 2016

[amdavadis4ever] ચિત્તને પીડ િત કરે એવી એક અવસ્થા – દિનકર જોષી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠિરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્ન થઈ ગયો એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા ગયા છે. કુરુક્ષેત્રની ઘટના પછી પૂરાં છત્રીસ વર્ષે યાદવાસ્થળી થઈ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. છત્રીસ વર્ષનો આ કાળ શ્રીકૃષ્ણે એક નિવૃત્ત વડીલની જેમ દ્વારકામાં જ વ્યતીત કર્યો છે. આ ગાળામાં એમના પુત્રો-પૌત્રોએ પેટે તાંસળી બાંધીને ઋષિઓની મશ્કરી કરી અને શાપિત થયા. શ્રીકૃષ્ણે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો, પણ આ મદ્યનિષેધ વહેવારમાં સાવ નિષ્ફળ ગયો હતો. એમની નજર સામે જ યાદવો પરસ્પર લડીને કાગડા-કૂતરાના મોતે મૂઆ. – કૃષ્ણે આ જોયું પણ કશું કરી શક્યા નહિ. એકાકી અવસ્થામાં જરા પારધીએ એમને પશુ સમજીને તીર માર્યું અને એમની લીલા સંકેલાઈ ગઈ.
ઘડીભર કલ્પના કરો કે આવું થયા પછી કોઈક ધર્મકાર્ય માટે, સામાજિક કાર્ય માટે કે પોતાના રોજિંદા વહેવાર માટે સંતાનો પાસેથી રકમ મેળવવી પડે ત્યારે, ચાર કે સાડાચાર દાયકા સુધી આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી ચૂકેલા માણસને કેવું લાગે ? સંતાનો માવતરની આ જરૂરિયાત હોંશેહોંશે માગ્યા વિના જ પૂરી કરે એ સુખદ પરિસ્થિતિ છે; પણ વહેવારિક જગતમાં આ એક નર્યો આદર્શ છે. કોઈ વાર બે કે ત્રણ પુત્રો વચ્ચે મનમેળ ન હોય ત્યારે તેઓના ચિત્તમાં માતા કે પિતાની આવી કોઈ જરૂરિયાત પૂરી કરવી એ ટાળવા જેવું સ્પાર્ધાત્મક લક્ષણ બની જતું હોય છે. એક પુત્ર એની સાચેસાચી મર્યાદાને કારણે ક્યારેક પોતાની જવાબદરી અદા ન કરી શકે, ત્યારે બીજા પુત્રને માતાપિતાનું હોવું સુદ્ધાં વધારાની જવાબદારી લાગવા માંડે એવું બને છે.
આમાં સંતાનો પ્રત્યે ઓછો સ્નેહ હોવાની કે વિશ્વાસ નહિ હોવાની કોઈ વાત નથી. જે નઠોર વાસ્તવિકતાઓ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ એમાં સહુ કોઈનું જીવન વધુ સુખમય અને શાંતિપૂર્ણ થાય એવા માર્ગ લેવામાં જ શાણપણ છે. કેટલી વાર નબળા સંતાનને વધુ સહાયભૂત થવું એ માતાપિતાની પણ ફરજ છે. કોઈ વાર એક પુત્ર સમર્થ હોય પણ ઉચ્છૃંખલતાને કારણે જો એ પોતાની જવાબદારીઓ અદા ન કરતો હોય તો માતાપિતાએ 'અમારે મન તો બધા સંતાનો સરખા' એ સુવર્ણાંકિત સિદ્ધાંતને કઠોરતાથી ઘડીકવાર વિસરાવી દેવો જોઈએ. ગોળ અને ખોળનું મૂલ્ય એક ન આંકી શકાય. જો આ બંનેનું મૂલ્ય એક જ આંકવામાં આવશે તો કોઈ ગોળ શા માટે વેચે ? આ ન્યાય તો અંધેરી નગરીમાં ગંડુરાજા જેવો જ થાય. જે પુત્રે પોતાની મર્યાદાઓ છતાં, જે કંઈ બની શક્યું એ બધું જ કર્યું છે અને જે પુત્રે કોઈ મર્યાદા ન હોવા છતાં ઉચ્છૃંખલતાપૂર્વક હાથ ખંખેરી નાખ્યા છે એ બંનેને જો વહેવારિક વહેંચણી વખતે સમકક્ષ ગણવામાં આવે તો ભવિષ્યમાં એ ખોટી પરંપરા પેદા થવાનો ભય રહે છે.
એમણે હસીને મને એક મોટો પદાર્થપાઠ શીખવ્યો : 'જુઓ, ભાઈ, મારા આ બંને પુત્રો રોજ મારાં ખબરઅંતર પૂછવા આવે છે. આમ તો હું મારું બધું કામકાજ કરી લઉં છું. પણ ક્યારેક જરૂર પૂરતું કામ હું એમનેય સોંપું છું. બંને દીકરા ભૂલ્યા વિના મેં સોંપેલું કામ અચૂક કરી આવે છે. હવે જો હું એમણે મારા માટે કરેલો ખર્ચ ચૂકવી ન આપું તો વહેલામોડા ક્યારેક એમના મનમાં એવો ભાવ પેદા થાય ખરો કે દર વખતે પપ્પા મને જ કામ સોંપે છે અને મારે જ ખર્ચ કરવો પડે છે. બીજા ભાઈ પણ પપ્પાના ખર્ચનો આવો ભાર ઉપાડવો જોઈએ, એવો ભેદભાવ એના મનમાં પ્રગટે, મારી પાસે પૂરતા પૈસા છે એટલે જો હું એને એણે ખર્ચેલી રકમ પાછી આપું તો દર વખતે મારું સોંપેલું કામ કરવામાં બંનેમાંથી એકેયના મનમાં કોઈ પ્રકારનો આવો ભાવ પેદા જ ન થાય. બંને હોંશપૂર્વક મારું કામ કરે. અને અંતે હું એમને જે કંઈ આપું છું એ મારી હયાતી પછી એમનું જ છે ને ! એ રકમ એમને પહેલાં આપું છું એમાં ખોટું શું છે ?'
આ વડીલ મિત્રે પોતાના વહેવારિક વર્તનથી જે પદાર્થપાઠ શીખવ્યો છે એ એમના વર્ગમાં આવતા તમામ વરિષ્ઠ નાગરિકોએ ધ્યાનમાં લેવા જેવો છે. એમણે જે વિચારણાથી પ્રેરિત થઈને આવો વહેવાર ગોઠવ્યો હતો એ વિચારણાથી પ્રેરિત થઈને આવો વહેવાર ગોઠવ્યો હતો એ વિચારણા પૂરેપૂરી માનસશાસ્ત્રીય છે. સદ્‍ભાવ, પૂજ્યભાવ, સખ્ય, સ્નેહ – આ બધા સદ્‍ગુણોની ઉપરવટ જતી હોય એવું લાગે તોય આ વિચારણા માણસમાં રહેલાં પ્રાકૃતિક સંયોજનોને પૂરેપૂરી સમજે છે એ સ્વીકાર્યા વિના ચાલે નહિ. સદ્‍ભાવના સમયે જે બધું સારું લાગતું હોય છે એ બધું દુર્ભાવનો સમય આવી પડે છે ત્યારે રૂપિયા-આના-પાઈના નક્કર માપદંડથી જ મપાતું હોય છે. આવો સમય ક્યારેય ન આવે એટલા માટે પેલા સદ્‍ભાવને સતત જાળવી રાખવા માટે આ વડીલની વિચારણા ભારે ઉપયોગી છે.
આપણને ગમે કે ન ગમે, પરિવારમાં હોવું એક વાત છે અને માનવ પ્રકૃતિની મર્યાદા સમજવી એ બીજી વાત છે. એવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે જે આપ્તજનો વચ્ચે આજે દેખીતી રીતે અત્યંત સ્નેહ પ્રવર્તતો હોય, પુષ્કળ ઐક્ય પ્રવર્તતું હોય અને લોકબોલીમાં કહીએ તો એક ભાણે જમતાં હોય એવાં આપ્તજનો વચ્ચે પણ કાળાંતરે એવાં પ્રચંડ અંતરો પેદા થઈ જતાં હોય છે કે પરસ્પરનાં મોં જોવાં પણ પસંદ કરે નહિ. આવી વિષમ વેળાએ બધા જ પક્ષો જૂના સુસંવાદિતાનાં કાળમાં પોતે કેટલું જતું કર્યું હતું, પોતે કેટલું સહન કર્યું હતું – આવી અનેક નાની મોટી વાતો હક્કદાવાપૂર્વક સંભારી આપતાં હોય છે. આનો અર્થ એવો જ થયો કે સુસંવાદિતાના કાળમાં પણ આવું જતું કરવાની કે સહન કરવાની કહેવાતી પ્રક્રિયાની બધાં જ પૂરતી નોંધ રાખતાં હોય છે. આવી ગંદી નોંધો ઉપર ચળકાટભર્યો ઢોળ ચડાવેલો હોય છે એટલું જ ! અહીં કોઈ નિરાશાજનક વાત નથી કરવી, પણ માત્ર વાસ્તવિકતાનો સ્વીકાર કરવો છે. આપણે સહુએ અંતે તો જે વાસ્તવિકતાઓ આપણે બદલી શકતા નથી એમની વચ્ચે જીવવાનું હોય છે. આમ હોવાથી સહુ કોઈનું જીવન ઓછામાં ઓછું બેસૂરું થાય એવું વર્તન કરવું એ જ ડહાપણ છે. પતિ અને પત્ની બંનેને તો આવા ઉત્તરકાળમાં એક એકમ તરીકે જ આપણે જોતા હોઈએ છીએ, પણ આ કહેવાતા એકમની મર્યાદાઓ પણ યાદ રાખી લેવા જેવી છે.
પરિવારજીવનમાં પરસ્પર વચ્ચે અવિશ્વાસ કરવો એવું કહેવાનો મુદ્દલ આશય નથી. વિશ્વાસ અને સ્નેહ જીવનને હળવું બનાવે છે. ઉત્તરાવસ્થામાં તો એની વિશેષ આવશ્યકતા હોય છે, પણ જે છે એનો ઇન્કાર કરવાથી કોઈ લાભ થતો નથી, નર્યું નુકસાન જ થાય છે. શ્રીકૃષ્ણ જેવા પરમપુરુષને પણ આ અનુભવ થયો હોય અને આવા અનુભવ પછી એમના ચિત્તમાં પણ જો વિષાદની લાગણી પ્રવર્તતી હોય તો આપણા જેવા સરેરાશ માણસની તો વાત જ શી કરવી ? શ્રીકૃષ્ણને હૈયું ઠાલવવા માટે નારદ જેવા દેવર્ષિ પ્રાપ્ત થયા હતા, આપણી પાસે તો કોઈ નારદ પણ નથી. શ્રીકૃષ્ણે જે પ્રશ્ન નારદને પૂછ્યો એ પ્રશ્ને એમના જેવા પરમપુરુષના પણ ચિત્તને કેટલાં વર્ષો સેધી પીડા દીધી હશે !

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment