Tuesday, 2 August 2016

[amdavadis4ever] અંધારામા ં પ્રકાશ પાથરતી પ્રવૃત્તિ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સમાજમાં અનેક પ્રસંગો એવા બનતા હોય છે જે અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવે. વળી સ્વયંને પણ આત્મસંતોષનો અનુભવ કરાવી દેતા હોય છે. જીવનભર મન લગાડીને કામ કર્યું હોય તેમને નિવૃત્તિનો કાળ કઈ રીતે પસાર કરવો તે મૂંઝવણ સદાય સતાવતી હોય છે. ખુલ્લી આંખે અને દિલમાં સમાજ માટે કંઈક કરી છૂટવાની ચાહ હોય તેમને માટે અનેક સંભાવના જોવા મળતી હોય છે. બસ આવું જ કંઈક બન્યું દિલ્હીમાં રહેતા શ્યામ પ્રસાદ બિહારી સાથે. સ્થાનિક દિલ્હીવાસીઓ અને બાળકોમાં અંકલ તરીકે ઓળખાતા શ્યામ બિહારી પ્રસાદ પટણામાં આસિસ્ટન્ટ જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત થયા. રિટાયર થયા બાદ તેમણે દિલ્હીના વસંતકુંજમાં રહેતી પુત્રી સાથે રહેવાનું નક્કી ર્ક્યું. નિવૃત્તિ પહેલાં તો સવારે કામાર્થે નીકળી ઑફિસમાં કામની અંદર વ્યસ્ત રહેતા અને સાંજના સમયે થાક્યાપાક્યા ઘરે પાછા ફર્યા બાદ સમય ક્યાં નીકળી પસાર થઇ જતો તેનો ખ્યાલ તેમને રહેતો નહીં. જોકે, નિવૃત્તિ બાદ સમય કઈ રીતે પસાર કરવો તે પ્રશ્ર્ન દરેકને સતાવે તેમ તેમને પણ સતાવવા લાગ્યો. રોજ સવારના સમયે નજીકમાં આવેલા હનુમાન મંદિરમાં નિયમિત જવાનું ચાલુ ર્ક્યું. ત્યાં શ્યામ બિહારીના ધ્યાનમાં આવ્યું કે મંદિરમાં આવતા ભક્તો પાસેથી કેટલાક બાળકો પ્રસાદ માગતા હતા. દયાળુ ભક્તો પ્રસાદ બાળકોને આપી દેતા હતા. આ નિત્યક્રમ બની ગયો હતો. એક સવારે શ્યામ બિહારીએ બાળકોને પાસે બોલાવીને તેમને પ્રસાદ આપ્યો. બીજા દિવસે બાળકોને બોલાવીને તેમણે નજીકની દુકાનમાંથી બિસ્કીટ ખરીદીને આપ્યાં. બાળકો બિસ્કિટ ખાવા ટોળે વળ્યા. બાળકો સાથે આત્મીયતા કેળવાયા પછી તેમણે ખાવાનું માગવાનું કારણ પૂછ્યું. ત્યારે જાણવા મળ્યું કે આ બાળકો ભિક્ષુક નથી. માતા-પિતા બંને નોકરી કરે છે. બાળકોને ઘરમાં એકલા છોડવાને બદલે તેઓ બાળકોને ઘરની બહાર છોડીને, ઘર બંધ કરીને નોકરીએ જાય છે. બાળકોની સરકારી શાળા આશરે ૧૦ વાગે શરૂ થતી. એ પહેલા તેઓ મંદિરના પરિસરની બહાર ભક્તો પાસેથી પ્રસાદ માગીને સમય પસાર કરતા અને સમય થતા શાળાએ જતા. 

શ્યામ અંકલે બાળકોને થોડા દિવસ નિયમિત બિસ્કિટ આપીને તેમનો વિશ્ર્વાસ જીતી લીધો. તેમની સાથે રોજ અવનવી વાતો કરીને તેઓ શાળામાં શું અભ્યાસ કરે છે તે જાણી લીધું. બાળકોને સામાન્ય પ્રશ્ર્નો પૂછ્યા ત્યારે જાણવા મળ્યું કે સરકારી શાળામાં તેમને યોગ્ય શિક્ષણ નથી આપવામાં આવતું. આ સંજોગોમાં બાળકોને મુશ્કેલ ગણાતા વિષયોનું જ્ઞાન તો કેવી રીતે શીખવા મળે? એક સવારે બાળકોને બિસ્કિટ આપ્યાં, ત્યારબાદ તેમણે બાળકોને વિવિધ વિષયો શીખવવા માટે આતુરતા બતાવી. બાળકો અંકલથી તો પરિચિત બની ગયાં હતાં. તેમણે આ નવા વિચારને પણ વધાવી લીધો. શ્યામ બિહારીએ બાળકોને બીજા દિવસે સવારના આઠ વાગે મંદિરની બહાર રોડ ઉપર મળવાનું જણાવ્યું. ૨૦૧૩માં તેમણે આ પગલું ભર્યું હતું. ઉત્સાહિત બાળકો સવારે આઠ વાગે આવી પહોંચ્યા. બાળકો મૂળભૂત રીતે પ્રેમના ભૂખ્યા હતાં. તેમને ગમ્મત સાથે જ્ઞાન મળવા લાગ્યું. કહેવાય છે કે 'સારા કામના સો સાથી. શ્યામ બિહારીની મહેનત રંગ લાવી. મંદિરની બહાર દુકાનના માલિકો, મંદિરમાં આવતા દયાળુ ભક્તો પણ મદદ માટે તૈયાર થવા લાગ્યા. પ્રથમ કલાસ શરૂ કરવામાં આવ્યો ત્યારે સગવડરૂપે શ્યામ પ્રસાદજી દ્વારા ઘરેથી લાવેલી એક ચટાઈ હતી. ન ખુરશી હતી કે ન ટેબલ હતા.'. 

રસ્તા પર ભણતા આ બાળકોને પસાર થતા વાહનોનો અવાજ કે ત્યાંથી ચાલીને પસાર થતા લોકોની વાતચીત પણ વિક્ષેપ પાડતી નથી. હાલમાં તો રસ્તા ઉપર ચાલતી આ શાળામાં રોજ સવારના આઠ વાગ્યે પ્રાર્થના પણ કરવામાં આવે છે. સ્થાનિક લોકો પણ આ ખુલ્લી શાળામાં રસ લેવા લાગ્યા છે. મંજુ મૅડમ અંગ્રેજી શીખવવા આવે છે. તો સિંઘભૈયા ગણિત શીખવે છે. કૃતિકા મૅમ વિજ્ઞાન અને ભૂમિતિ શીખવે છે. તો કોઈ જાગૃત નાગરિક દ્વારા પુસ્તકો, પાણીની બોટલ કે શ્યામ બિહારીજી દ્વારા ખૂટતી વસ્તુઓ માગવામાં આવે તેની વ્યવસ્થા કરવામાં આવતી રહે છે. આ શાળામાં ઉંમરનો કોઈ બાધ નથી. આ શાળામાં અભ્યાસ કરવાની મજા કંઈક અલગ જ છે. બધા એકબીજા સાથે છૂટથી વાત કરતા ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. વળી દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. અંકલને પ્રશ્ર્ન પૂછતાં પણ બાળકોને સંકોચ થતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે અહીં શિક્ષક ગુસ્સે થતા નથી. અલબત્ત એનો અર્થ એવો નથી કે તેમની ભૂલો પ્રત્યે ધ્યાન નથી દોરવામાં આવતું. તમની રીત અલગ છે. બાળકોની જ્ઞાનવૃદ્ધિ માટે માહિતીસભર પુસ્તકોની સાથે કોમિક્સ અને સ્ટોરી બુક્સ પણ રાખવામાં આવી છે. શરૂઆતમાં તો આ બાળકોને કઈ રીતે વાત કરવી તે પણ આવડતું ન હતું. એકબીજાને ઉતારી પાડીને કે ગાળ સાથે તેઓ વાતો કરતા. ક્લાસમાં કઈ રીતે શિસ્તથી બેસવું તે પણ તેમને આવડતું ન હતું. સ્વચ્છ વસ્ત્રો અને સુઘડ બનીને હવે તેઓ એકબીજા સાથે યોગ્ય રીતભાતથી વાતો કરે છે. શ્યામ પ્રસાદ પણ બાળકોને તેમના પૌત્રની જેમ સાચવે છે. હા ક્યારેક તોફાને ચઢી જાય ત્યારે તેમને વઢીને વારે પણ ખરા. નોધારા ફરતાં બાળકોના જીવનને સજાવીને તેમને જીવનનો સાચો રસ્તો બતાવ્યો. આજે આ બાળકો સરકારી શાળામાં સારા માર્કસ સાથે પાસ થાય છે. આ બાળકો રોજ સવારનો સમય ખાવાનું માગીને પસાર કરવા કરતાં ગમ્મત સાથે જ્ઞાન મેળવીને ખુશખુશાલ રહે છે. શ્યામ બિહારી પ્રસાદે બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું અનોખું કામ કર્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment