Friday, 5 August 2016

[amdavadis4ever] હસ તું હરદમ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુખ, ખુશાલી, પ્રસન્નતા, આનંદ જેવા શબ્દોનો પ્રભાવ વાસ્તવિક જીવનમાં પડે તેવી ઈચ્છા દરેક વ્યક્તિ રાખતી જોવા મળે છે. જીવનમાં આનંદ કઈ રીતે મેળવવો તેની દોડમાં દરેક જણ ભાગતો જોવા મળે છે. સુખ તો આપણી આસપાસ, છુપાયેલું હોય છે, તેને ઓળખવું જરૂરી છે. જીવનની પળેપળમાં પ્રસન્નતા છુપાયેલી જોવા મળે છે. તેનો આધાર વ્યક્તિની પોતાની પસંદ ઉપર છે. 

સુખી કે પ્રસન્ન લોકો ત્રણ ચીજોથી સદાય દૂર રહે છે ચાલો જાણી લઈએ તે ત્રણ ચીજો :

સુખી વ્યક્તિ ક્યારેય નગુણી કે કૃતઘ્ન નથી હોતી

કૃતજ્ઞતા વ્યક્તિના વિચારોને શાંત બનાવી સ્પષ્ટ બનાવે છે. જેને કારણે ડિપ્રેશન, માનસિક તાણ ઘટાડે છે. મન દૃઢ બનાવે છે. જીવનમાં જે નથી મેળવ્યું તે નહીં, પણ જે મેળવી લીધું છે તેની સામે નજર રાખીને જીવવાની શક્તિ પ્રદાન કરે છે. નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સંશોધન થકી પણ જાણવા મળ્યું છે કે દરેક વ્યક્તિમાં કોઈ એક ગુણ તો સારો હોય છે. તે ગુણ પ્રત્યે ધ્યાન આપવું. દુર્ગુણો તરફ લક્ષ્ય આપવું નહીગ. 

પ્રસન્ન લોકો ક્યારેય એકલા હોતા નથી

સુખી લોકો સમાજમાં રહીને સંબંધો સાચવી જાણે છે. સગાસંબંધી હોય કે પાડોશી હોય કે પછી મિત્રો તેઓ સદાય ઘેરાયેલા જોવા મળે છે. માનસિક તાણનું પ્રમાણ ૫૦-૭૫ વર્ષમાં વધી ગયેલું જોવા મળે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે માનસિક તાણનું પ્રમાણ ૨૦૨૦ સુધીમાં અનેક સંબંધોમાં પૂર્ણવિરામ મૂકશે. વિશ્ર્વની પોણા ભાગની પ્રજા તાણનો ભોગ બનેલી જોવા મળશે. તમારે ડિપ્રેસ્ડ્ લોકોના લિસ્ટમાં નામ ન નોંધાવવુંં હોય તો તમારો વ્યવહાર આજથી જ બદલવાની જરૂર છે. 

આનંદિત લોકો ક્યારેય આળસુ હોતા નથી

સુખી માણસો તેમના સ્વાસ્થ્યની, મનની કાળજી નિયમિત લેતા હોય છે. જીવનમાં તકલીફ કે દુ:ખ તો દરેક વ્યક્તિને એક યા બીજા પ્રકારનું હોય છે, પણ તેના પ્રત્યે વધુ ધ્યાન ન આપતા વ્યક્તિ તેના કામને નિયત સમયમાં પૂર્ણ કરવા પ્રત્યે વફાદાર રહે છે. કામ પ્રત્યે આળસ કરવું તેને ગમતું નથી. ઓફિસનું કામ હોય કે ઘરનું કામ હોય કે પછી વ્યવહારનું કામ હોય તેઓ તે કામમાં ચોક્કસ હોય છે. સકારાત્મક વિચારો દ્વારા કાર્ય કરવાથી કામ સરળતાથી થાય છે, કામમાં સફળતા પણ મળે છે. જીવનમાં અનેક પ્રશ્ર્નો હોય કે મુશ્કેલી આવે તો પણ તેઓ સદાય હસતા રહીને કામને ઉત્સાહથી અને પૂરી નિષ્ઠાથી કરતા જોવા મળે છે. તેથી તેમને કામનો ભાર લાગતો નથી. તેથી જ તેઓ સદાય સ્ફૂર્તિલા હોય છે. જે અન્ય વ્યક્તિ માટે પણ પ્રેરક બને છે. આપ પણ જીવનને સકારાત્મક દૃષ્ટિથી જોવાની આદત પાડશો તો સુખ, પ્રસન્નતા સદાય તમારી સાથે રહેશે. 

ૄલડાઈ-ઝઘડો થાય કે મતભેદ થાય ત્યારે ગુસ્સામાં સામે બોલવાનું તેઓ ટાળે છે. જેથી પાછળથી પસ્તાવું ન પડે. કોઈપણ વસ્તુને શાંતિથી સાંભળી થોડા સમય બાદ તે વાતની સચ્ચાઈ સમજાવી કારણ વગરનો વિખવાદ ટાળે છે.

ૄ શારીરિક તંદુરસ્તીને પહેલું પ્રાધાન્ય આપે છે. નિયમિત વ્યાયામ કરવાથી મન અને તન બંને સ્વસ્થ રહે છે. જે વ્યક્તિત્વને નિખારે છે. આ અગત્યની વાતને જીવનમાં પ્રાધાન્ય આપે છે.

ૄ સમયસર કામ કરવું તેમના જીવનનાં પહેલો મંત્ર છે. તેઓ જાણે છે કે સમયને તેઓ સાચવશે નહીં તો સમય પણ તેમને નહીં સાચવે. માનસિક તણાવમાં રહેવા કરતાં સમયસર કામ કરવું વધુ હિતાવહ છે. જે જીવનમાં સફળતાની ચાવી છે.

ૄ કોઈએ કરેલા સારા કામનો બદલો તેઓ સારા શબ્દો બોલીને, આભાર માનીને વ્યક્ત કરે છે. મીઠા શબ્દોનો ઉપયોગ જીવનમાં કરવાથી બંને પક્ષે ફાયદો થાય છે. તેઓ સારી રીતે જાણે છે કે જે ભૂલ થઈ છે તેને સુધારવી હોય તો સારા શબ્દોનો ઉપયોગ જાદુ સમાન છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment